દૂરદર્શન ડી ડી ગિરનાર દ્વારા પ્રસ્તુત બાળકો માટેની, બાળકો દ્વારા અભિનીત દૈનિક ધારાવાહિક તોફાની ત્રિપૂટી

સિને ગુજરાતી સ્પેશિયલ

દૂરદર્શન ડી ડી ગિરનાર દ્વારા પ્રસ્તુત બાળકો માટેની, બાળકો દ્વારા અભિનીત દૈનિક ધારાવાહિક તોફાની ત્રિપૂટી તારીખ ૩ એપ્રિલથી પ્રસ્તુત થઈ. આ સીરિયલમાં બાળકો દ્વારા હકારાત્મક સંદેશ આપવામાં આવે છે. કોઇ પણ તકલીફ કે પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે બાળકો સહજતાથી સમજાવે છે. આ સીરિયલનું નિર્દેશન પંકજ ચૌહાણે કર્યું છે. સીરિયલના લેખક ભાર્ગવ જીવરામ જોષી તથા પ્રોડક્શન મેનેજર મીત સોની છે.
હિરણ્ય ઝિંઝુવાડિયા, રિષી પંચાલ, વેદાંત ત્રિવેદી, હેતલ ત્રિવેદી, તપન જાની, દિનકર ઉપાધ્યાય, કમલ પંડ્યા તથા જયશ્રી ભાવસાર અને અનેક કલાકારોએ આ સીરિયલમાં અભિનય કરી રહ્યા છે.
પ્રસારણ સમય દર સોમવાર અને મંગળવારે સાંજે ૭:૩૦ કલાકે અને દર રવિવારે મહા એપિસોડ સવારે ૧૦ થી ૧૧.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More