OTT પર મિર્ઝાપુર 3 ક્યારે આવશે એની ચાહકો રાહ જોઈને બેઠા છે. દર્શકો બોલીવુડ અભિનેતા પંકજ ત્રિપાઠી અને અલી ફઝલની સુપરહિટ વેબ સિરીઝ ‘મિર્ઝાપુર 3’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ એમેઝોન પ્રાઇમ વિડિયોએ પણ તેની એક ઇવેન્ટમાં તેની નવી સીઝનની જાહેરાત કરી હતી. ‘મિર્ઝાપુર 3’ની જાહેરાતથી દર્શકો ખૂબ જ ખુશ હતા. હવે જે રિપોર્ટ્સ સામે આવ્યા છે તે મુજબ ‘મિર્ઝાપુર 3’ના દર્શકો માટે નિરાશાજનક સમાચાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મુન્ના ભૈયા એટલે કે દિવ્યેન્દુ શર્મા આ નવી સિઝનમાં પરત નહીં આવે.
આ સમાચાર ફેન્સ માટે એક મોટો આઘાત સમાન છે. બધાને આશા હતી કે મુન્ના ભૈયા ત્રીજા ભાગમાં જોવા મળશે. દિવ્યેન્દુ શર્માએ પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ સ્ટારર ‘મિર્ઝાપુર 3’નો ભાગ ન બનવા અંગે મોટો ખુલાસો કર્યો છે. તેણે પોતાનું નિવેદન જારી કરીને કહ્યું કે તે ‘મિર્ઝાપુર 3’નો ભાગ નહીં બને.દિવ્યેન્દુ શર્માએ ‘મિર્ઝાપુર’ સિરીઝમાં વિલનની ભૂમિકા ભજવી હોવા છતાં તે આ સિરીઝના ફેવરિટ પાત્રોમાંથી એક છે. ચાહકોને આશા હતી કે તે આ સિરીઝમાં જોવા મળશે પરંતુ દિવ્યેન્દુ શર્માએ પોતે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું છે.
અલી ફઝલ અને પંકજ ત્રિપાઠી ઉપરાંત શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ, વિજય વર્મા, શીબા ચઢ્ઢા અને અંજુમ શર્મા સહિતના ઘણા કલાકારો ‘મિર્ઝાપુર 3’ સિરીઝમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. નિર્માતા રિતેશ સિધવાનીએ સંકેત આપ્યા છે કે આ સિરીઝ જૂન અથવા જુલાઈમાં રિલીઝ થશે. જોકે, શર્માજીની તાજેતરમાં નવી ફિલ્મ મડગાંવ એક્સપ્રેસ આવી હતી. જે સુપરહીટ સાબિત થઈ રહી છે. ખાસ કરીને ગોવા જવા માટે થનગનતા યુવાનોને એની ફિલ્મ પસંદ આવી રહી છે.
Read More Interviews & Interesting Articles on Cine Gujarati….
Follow our Social Media Platforms for latest updats
1) web : https://www.cinegujarati.com
2) youtube : https://www.youtube.com/@CineGujarati
3) instagram : https://www.instagram.com/cinegujarati/
4) facebook : https://www.facebook.com/cinegujarati1
5) twitter : https://twitter.com/cinegujarati
6) Pinterest : https://in.pinterest.com/cinegujarati/